સંસ્કૃત શુભાષિત ગુજરાતી અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati |
સંસ્કૃત શુભાષિત
|| શ્લોક: ||
નાસ્તિ વિદ્યા સમં ચક્ષુર્નાસ્તિ સત્યસમં તપઃ |
નાસ્તિ રાગસમં દુઃખં નાસ્તિ ત્યાગસમં સુખમ્ ||
|| ગુજરાતી ભાષાંતર ||
વિદ્યા જેવી કોઈ આંખ (દ્રષ્ટિ) નથી, સત્ય જેવું કોઈ તપ નથી.
મોહ (આસક્તિ) જેવું કોઈ દુઃખ નથી અને ત્યાગ જેવું કોઈ સુખ નથી.
|| અર્થ: ||
જેમ વિદ્યા આપણને જીવનમાં સાચો માર્ગ બતાવે છે, તેમ બીજું કોઈ ચક્ષુ નથી. સત્યનું પાલન કરવું એ સૌથી મોટું તપ છે. કોઈપણ વસ્તુ પ્રત્યેનો અતિશય મોહ કે આસક્તિ દુઃખનું કારણ બને છે, જ્યારે વસ્તુઓનો ત્યાગ કરવાથી જ સાચું અને પરમ સુખ પ્રાપ્ત થાય છે.
|| જય શ્રી કૃષ્ણ ||
સંસ્કૃત શુભાષિત ગુજરાતી અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati |
Reviewed by Bijal Purohit
on
8:04 am
Rating:
Reviewed by Bijal Purohit
on
8:04 am
Rating:

कोई टिप्पणी नहीं: